Helpline 02825 220 871
apmcgondal@yahoo.co.in
ટેકાના ભાવે તુવેર ખરીદી આંબરડી

Yesterday 4:20PM

ટેકાના ભાવે તુવેર ખરીદી જામવાળી

Yesterday 3:53PM

ઘઉં પાલ બંઘ

Yesterday 7:20AM

*ઘઉંના પાલની આવક આજરોજ તારીખ 9/3 ને સોમવાર ના રોજ સવારના 7 વાગ્યાથી સદંતર બંધ કરવામાં આવેલ હોય જેથી ઘઉં ના પાલ ની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી*

ટેકાના ભાવે તુવેર ખરીદી આંબરડી

08-03-2026

ધાણા ની આવક બંધ

08-03-2026

ધાણાની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવેલ છે

લાલ ડુંગળી ની આવક

05-03-2026

લાલ ડુંગળી ની આવક દરરોજ રાત્રીના 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી જ ચાલુ રહેશે દિવસ દરમિયાન તેમજ દરેક રજાના આગલા દિવસે લાલ ડુંગળી ની આવક સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

ચણા કટ્ટા ની આવક

04-03-2026

*ચણાના કટ્ટા ની આવક રાબેતા મુજબ 24 કલાક ચાલુ રહેશે . ચણાના પાલની આવક સદંતર બંધ હોય જેથી ચણા નાં પાલ કોઈ પણે ભરીને લાવવા નહીં જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી *ખાસ નોંધ:-* સફેદ ચણા ઉતારવા ની વ્યવસ્થા અલગ થી કરવામાં આવેલ છે છાપરા નંબર 4 માં પી 31 થી 44 બન્ને સાઈડ સળંગ પટ્ટામાં ઉતારવા નાં રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

વાહન માલીકો ને ખાસ સૂચના

01-03-2026

આથી ઘઉંના પાલ લાલ ડુંગળી ના - દરેક વાહન માલિક ભાઈઓને ખાસ સુચના આપવામાં આવે છે કે જેતપુર બાજુની સાઈડમાં ઓર બ્રીજ ઉતરતા જે લોકોના વાહન આવેલ હોય તેઓએ રાધિકા ફર્નિચર ઈશ્વર માર્કેટીંગ ની વચ્ચે નો રસ્તો અર્જુન હોટલ ની પાછડ ગ્રાઉન્ડ મા રાખવાના રહેશે તેમજ ત્યા સ્થળ ઉપર જ ટોકન આપવામા આવશે. જેતપુર બાજુ એક જગ્યા એજ વાહનો રાખવાના રહેશે *નોંધ:- રાજકોટ સાઈડ જગ્યા ના હોય જેથી* રાજકોટ બાજુથી એક પણ વાહન લેવામા આવશે નહી

એપીએમસી ગોંડલ.

17-09-2025

માર્કેટ યાર્ડ ની એપ્લિકેશન એપીએમસી ગોંડલ. ચાલુ રાખવામાં આવેલ છે. જેની દરેકે ખાસ નોંધ લેવી

ડિજિટલ ગેટ પાસ ફરજીયાત અંગે

01-05-2024

આથી દરેક વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે કે તારીખ 1/ 5 / 2024 ને બુધવાર થી વાહન એન્ટ્રી પાસ ફરજીયાત તથા તમામ માલ આવકોના ડિજિટલ ગેટ પાસ ફરજિયાત કઢાવવાના રહેશે. વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓએ ગેટ પાસ જે તે કમિશન એજન્ટ ની દુકાને પહોંચતો કરવાનો રહેશે જે વાહન માલિકો ગેટ પાસ કઢાવસે નહી તેવા વાહન ને 5-દિવસ માર્કેટ યાર્ડ માં પ્રવેશ બંધ કરવામાં આવશે. ડિજિટલ ગેટ પાસ વગરના કોઈ પણ વકલની હરરાજી લેવામાં આવશે નહીં. તેની સંબંધ કરતા તમામે ખાસ નોંધ લેવી.